Search This Blog

Monday, 4 September 2017

વ્યક્તિ વિશેષ


1.બકુલ ત્રિપાઠી

જન્મ સ્થળ : નડિયાદ, 27 નવેમ્બર 1928.
મૃત્યુ : અમદાવાદ, 31 ઓગસ્ટ 2006. 
અભ્યાસ : એમ.કોમ અને એલ.એલ.બી સુધી નો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછી તેઓ અમદાવાદની એચ.એલ. કોલેજ ઓફ કોમર્સ માં ફરજ બજાવી.
વ્યવસાય : લેખક, અધ્યાપક.
પ્રદાન : હાસ્યલેખક,નિબંધકાર,નાટયલેખક તેમજ કટારલેખક હતા.

સર્જન
હાસ્યલેખક  : સચરાચર, વૈકુઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિહાંસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠી નું બારમું.
=  નાટક : લીલા, પરણું તો એનેજ પારણું.
=  સંપાદન : જયંતિ દલાલ ના એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખક.
=  બાળસાહિત્ય : fantasia અદ્રુત નું રૂપાંતર.
ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી, અષાઢની સાંજે પ્રિય સખી અને ભજીયાં, મિત્રો ના ચિત્રો, બાપુજીની બકરીની બકરીના બકરાનો બકરો, ઈન્ડિયા અમેરિકા, હસતાં હસતાં.

=  તેમનો હાસ્ય કટાક્ષ લેખોનો સંગ્રહ 'સચરાચર' ને ગુજરાત સરકાર તરફથી ઉત્તમ હાસ્ય પુસ્તક તરીકે ઈનામ મળ્યું હતું .
= ગુજરાત સમાચારમા આવતી તેમની કટાર 'કક્કો અને બારખડી' ખૂબ લોકપ્રિય બની હતી. જે 43વર્ષ ચાલેલી. 
= વૈકુઠ નથી જાવું તેમનો લલિત નિબંધ સંગ્રહ છે.
= જે ગુજરાત સાહિત્ય પરિષદ ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણચંદ્રક તથા જ્યોતીન્દ્ર દવે પરિતોષિક અને ગુજરાત સરકારના પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા હતા.

2 comments:

Hi this is a CBREdu

Popular Posts

Update Soon

ISRO Indian space research organization

उत्‍पत्ति  :  1962 में जब भारत सरकार द्वारा भारतीय राष्‍ट्रीय अंतरिक्ष अनुसंधान समिति (इन्‍कोस्‍पार) का गठन हुआ तब भारत ने अंतरिक्ष म...